I am The
Captain of Congress -
Shankarsinh Vaghela
Voters are listerning to vaghela
Media Mulakaat
સુરેન્દ્રનગર ખાતે બુધવારે યોજાયેલી જાહેર સભામાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભાજપ જાહેર ખબર અને જાહેર સભાઓમાં કહે છે કે, કોંગ્રેસના કેપ્ટન કે સુકાની કોણ ? તો હું જણાવું છે કે, કોંગ્રેસનો કેપ્ટન હું છું એમ કહીને તેઓએ પોતે સી.એમ.ના દાવેદાર હોવાનો આડકરતો નિર્દેશ કર્યો હતો. આમ તેમણે મુખ્યમંત્રી પદ અંગેના વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. જોકે, બાદમાં અમદાવાદના જુહાપુરામાં બુધવાર સાંજે શંકરસિંહે વાતને વાળી લેતા જણાવ્યું હતું કે ભાજપ વારંવાર એવું કહે છે કે કોંગ્રેસમાં કેપ્ટન નથી, મુખ્યમંત્રીના દાવેદાર જ નથી. પરંતુ લોકશાહીમાં પહેલાં ધારાસભ્યો ચુંટાય છે અને પછી જ મુખ્યમંત્રી નક્કી થાય છે.આમ તેઓ ભાજપ દ્વારા કેપ્ટન ની જાળમાં આવી ગયા અને ભુલ કરી બેઠા આના કારણે ભાજપ ને વધુ એક મુદ્દો મળી ગયો છે કોંગ્રેસ વિરોધી પ્રચાર કરવા માટે .
-અલી અસગર દેવજાની