
14 માર્ચ,અમદાવાદ .અલી અસગર
ટીવી સિરિયલના જાણીતા કલાકાર અભિનવ શુક્લા અમદાવાદ ખાતે પોતાની આગામી સીરીયલ ના પ્રમોશન માટે આવ્યા હતા. તેઓ એક ટીવી ચેનલ ના નવા ધારાવાહિક "બદલતે રિશ્તોકી દાસ્તાન " માં મુખ્ય કિરદાર અદા કરતા દેખાશે . આ ઉપરાંત તેઓએ એસજી હાઇવે સ્થિત એનઆઇએમસીજેની પણ મુલાકાત લઇ સ્ટુડન્ટ્સ સાથે ચર્ચા કરી હતી. ત્યારે અમદાવાદની મુલાકાત દરમિયાન અભિનવ કહે છે કે તેઓ આમ તો ક્યારેય અમદાવાદ આ પેહલા આવ્યા નહતા પરંતુ તેઓ અહીંથી ઘણીવાર પસાર થયા હતા અને તેઓને એક્ષપ્રેસ હાઇવે સહિતના માર્ગોથી તેઓ પ્રભાવિત થયા હતા .
અભિનવએ પોતાની સિરિયલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તે એક એવી સિરીયલ છે જેમાં ઘરના મુખ્યા એક પુરુષ છે અને તે સિરીયલ માં તેઓ મુખ્ય ભૂમિકામાં છે .તેઓએ પોતાના કરિયરના ઘણા અનુભવો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા .
ફોટોગ્રાફી; અલી અસગર' દેવજાની
No comments:
Post a Comment